Mission & Vision
મિશન અને વિઝન
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવી દ્રશ્ય લલિતકલાઓના પ્રસાર અને વિકાસ માટે અગત્યની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. રાજ્યની કલા અને કલાકારોનો પરિચય સામાન્ય જનસમુદાયને મળે અને રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે તથા ભાવિપેઢીમાં કલા પ્રત્યે રૂચી વધે અને તેમને આ ક્ષેત્રે વિકાસની પ્રેરણા મળે તે માટે અકાદમી કાર્યશીલ છે.